Wednesday, January 20, 2016

Akbar ni Dadhi

અકબરની દાઢી ખેંચનારને સજા

બાદશાહ અકબર એક દિવસ દરબારમાં પધાર્યા અને સિંહાસન પર બેસતાની સાથે જ તેમણે દરબારીઓને કહ્યું કે, આજે એક વ્યક્તિએ મારી દાઢી ખેંચી. બોલો હું તેને શું સજા આપુ?

આવું સાંભળીને બધા જ દરબારીઓ હેરાનીમાં પડી ગયાં અને વિચારવા લાગ્યા કે કોણે આવી હિંમત કરી? આખરે કોનું મૃત્યું નજીક છે જે આવી હિંમત કરી શકે? તેઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા.

થોડી વાર પછી એક દરબારીએ કહ્યું, જહાઁપનાહ! જેણે પણ આ કામ કર્યું છે, તેનું માથુ ધડથી અલગ કરી દો. બીજા દરબારીએ કહ્યું, મારા મતે આવી ભુલ કરનાર વ્યક્તિને તો હાથીના પગ નીચે કચડી દેવો જોઈએ. કોઈએ કહ્યું કે, ફટકા મારવા જોઈએ, કોઈએ કહ્યું કે જીવતો દિવાલમાં ચણાવી દો. જેટલા દરબારીઓ એટલી પ્રકારની વાતો. કેટલીયે પ્રકારની સજા સંભળાવવામાં આવી.

તેમની વાતો સાંભળીને બાદશાહ કંટાળી ગયાં. છેલ્લે તેમણે બીરબલને પુછ્યું, બીરબલ તુ શું કહે છે? મારી દાઢી ખેંચનારને શું સજા આપવી?

બીરબર મનમાં હસ્યો અને કહ્યું,- જહાઁપનાહ! તમે તેને પ્રેમથી મીઠાઈ ખવડાવો. આ ગુનાની આ જ સજા છે. બીરબલનો જવાબ સાંભળીને બધા દરબારીઓ ચોંકી ગયાં અને એવી રીતે બેરબલનો ચહેરો જોવા લાગ્યા જાણે કે તે પાગલ હોય.

જ્યારે કે બીરબલનો જવાબ સાંભળીને બાદશાહે કહ્યું, વાહ બીરબલ તારી તો વાત જ અલગ છે.

પરંતુ મને એ તો જણાવ કે મારી દાઢી કોણે ખેંચી હશે? બીરબલે કહ્યું- જહાઁપનાહ! નાના રાજકુમાર સિવાય આટલી હિંમત કોનામાં હોઈ શકે? તેણે તો પ્રેમથી જ આવું કર્યું હશે ને! એટલા માટે તેને સજામાં મીઠાઈ ખવડાવો.

બીરબલની વાત સાચી હતી. સવારે શહેજાદા બાદશાહના ખોળામાં બેઠા હતાં. રમતાં રમતાં તેમણે બાદશાહની દાઢી ખેંચી હતી. ચતુર બીરબલના જવાબથી બાદશાહ ખુશ થયાં.

No comments:

Post a Comment